Matdar Yadi sudharana: મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023: આપણી પાસે આધાર કાર્ડ,પાન કાર્ડ જેવા ઘણા અગત્યના સરકારી ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ આવુ જ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદિ ને લગતા વિવિધ કામ માટે ચુંટણી પંચ દ્વારા વર્ષમા 1-2 વખત સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે. જે આ વખતે તા. 27 ઓગસ્ટ 2023 થી તા.9 ડિસેમ્બર 2023 સુધી યોજાશે. ચાલો જોઇએ મતદાર યાદિ સુધારણા સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ વિગતો.
Matdar Yadi sudharana 2023
મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023
ગુજરાત ના ચુંટણી કમીશન દ્વારા મતદારયાદિ સંક્ષિપ્ત સૂધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમા તા. 27-10-2023 થી 9-12-2023 સુધી મતદારયાદિને લગતા વીવીધ કામગીરી કરી શકાશે. જે નીચે મુજબ છે.
- મતદારયાદિમા નવુ નામ દાખલ કરવુ
- મતદારયાદિ માથી નામ કમી કરાવવુ
- નામમા સુધારો કરવો
- સરનામુ બદલવુ
મતદાર યાદિ સુધારણા ફોર્મ
મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023 માટે અલગ અલગ કામ માટે અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે જે નીચે મુજબ છે.
- નવુ નામ દાખલ કરવુ: મતદાર યાદિમા જો તમે નવુ નામ દાખલ કરવામાગતા હોય તો તેના માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે. જે તા.1-1-2024 ના રોજ 18 વર્ષ પુરા થતા હોય તે આ ફોર્મ ભરી શકે છે.
- નામ કમી કરાવવુ: કોઇ કારણસર જો મતદારયાદિ માથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ હોય છે.
- નામમા સુધારો: જો મતદારયાદિમા તમારા નામ અટક વગેરેમા કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં. 8 ભરવાનુ હોય છે.
- સરનામુ બદલવુ: મતદારયાદિમા સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનુ હોય છે.
મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023 ખાસ ઝૂંબેશના દિવસો
મતદારયાદિ સુધારણા કાર્યકર્મ અંતર્ગત આ તારીખોમા ખાસ ઝૂંબેશના દિવસો નક્કી કરવામા આવતા હોય છે. આ દિવસોમા જે તે વિસ્તારના BLO આખો દિવસ ચુંટણી બુથ પર બેસે છે. અને મતદારયાદિ સુધારણાના ફોર્મ સ્વિકારે છે. આ માટે સાથે જોડવાના ડોકયુમેન્ટ વગેરેની ડીટેઇલ માહિતી BLO પાસેથી મળી રહે છે. આ વખતે ખાસ ઝૂંબેશના દિવસો નીચે મુજબ નક્કી કરવામા આવ્યા છે
અગત્યની લીંક
